રજીસ્ટ્રેશન નંબર : એ / 650 / ગાંધીનગર
  • slide-background
  • slide-background
  • slide-background
  • slide-background
about-image

ઉત્તર ગુજરાત ૪૧ કડવા પાટીદાર સમાજ ગાંધીનગર

ગાંધીનગર સ્થિત આપણા સમાજના સભ્યોના સંગઠનની શરૂઆત ૧૯૯૩ માં થઈ અને સ્થાપક પ્રમુખશ્રી સાંકાભાઈ જે. પટેલ (જંત્રાલ) એ સ્વ.શ્રી ગાંડાભાઈ પટેલ (જામળા) જેવા અન્ય સભ્યોના સહકારથી આપણા સમાજનું સંગઠન ઉભું થાય તેવા પ્રયત્નો કરી સૌ પ્રથમ સાદરા અને બીજો અંબોડ ખાતે સ્નેહમિલન સમારંભ કરવામાં આવેલ.

સને ૧૯૮૬ માં શરૂ થયેલ ઉમિયા મિત્ર મંડળ દ્વારા તારીખ ૦૬-૦૨-૧૯૯૪ના રોજ અંબોડ ખાતે સમાજના સ્નેહમિલન સમારંભની સામાન્ય સભામાં ઉત્તર ગુજરાત ૪૧ ગામ કડવા પાટીદાર સમાજ, ગાંધીનગરના નામાભિધાન બાદ અસ્તિત્વમાં આવેલ છે.

સમાજના ૧૫ ટ્રસ્ટીઓ સાથે ટ્રસ્ટી મંડળની સ્થાપના કરી તેની જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરીમાં (કમાંક : એ/૬૫૦/ગાંધીનગર, તા.૧૬-૮-૨૦૧૨ થી નોંધણી કરાવવામાં આવેલ.

શરૂઆતમા આશરે ૫૦ સભ્યોથી શરૂ થયેલું આપણું સંગઠન આજે લગભગ ૬૦૦ સભ્યો/પરીવારનું થયેલ છે.

Our Activities ( અમારી પ્રવૃત્તિઓ )

Message (સંદેશ)